શ્રી વડવાળા મંદિર, દુધરેજધામની સામાજીક, ધાર્મિક અને શૈક્ષણિક પ્રવૃતિઓ

અન્નક્ષેત્ર : અભિયાગત સેવા

શ્રી વડવાળા મંદિર દુધરેજધામ માં દરરોજ ૨૪ કલાક અન્નક્ષેત્ર ચલાવવામાં આવે છે.જ્યાં દરરોજના ૧૦૦૦ થી ૧૫૦૦ દર્શનાર્થીઓ તેમજ સાધુ – સંતો ભોજન પ્રસાદ ગ્રહણ કરે છે.

ગૌશાળા : ઉત્તમ ઓલાદનું રક્ષણ

શ્રી વડવાળા મંદિર દુધરેજધામ દ્વારા ઉતમ ઓલાદના રક્ષણ માટે ગૌશાળા (૧) શ્રી વડવાળા મંદિર ગૌશાળા (૨) શ્રી વટેશ્વર ગૌશાળા – જેગડવા ચલાવવામાં આવે છે.

શૈક્ષણિક કાર્ય : કુમાર છાત્રાલાય,કન્યા છાત્રાલય,હાઈસ્કુલ

શ્રી વડવાળા મંદિર દુધરેજધામ દ્વારા શૈક્ષણિક પ્રવુતિ (1) સદગુરૂ શ્રી ગોમતીદાસબાપુ કુમાર છાત્રાલય (2) સદગુરૂ શ્રી કલ્યાણદાસબાપુ કન્યા છાત્રાલય તેમજ શ્રી વડવાળા દેવ સરસ્વતી વિધાલય ચલાવવામાં આવે છે

પર્વ ઉજવણી : જન્માષ્ટમી, દિપાવલી. હોળી-ધૂળેટી અને ગુરૂ પૂર્ણિમા જેવા પ્રસંગોની ઉજવણી

જન્માષ્ટમી પર્વ,દિપાવલી,હોળી – ધુળેટી તેમજ ગુરૂ પુર્ણિમા જેવા પાવન પ્રસંગોમા શ્રી વડવાળા મંદિર દુધરેજધામમાં અંદાજીત ૨ થી ૩ લાખ જેટલા શ્રધ્ધાળુઓ દર્શનાર્થે આવે છે જેમના રહેવા તથા જમવા માટેની વ્યવસ્થા મંદિર દ્વારા કરવામાં આવે છે.

આ સંસ્થા દ્વારા ભારતના પવિત્ર સ્થળોમાં સેવક સમાજ માટે વિશાળ ધર્મશાળા શ્રી રઘુવિર ધામ-ડાકોર, શ્રી કલ્યાણ ગુરૂધામ-જુનાગઢ

બાર બાર વર્ષે આવતા ભારતના પ્રસિધ્ધ મહાકુંભ પર્વમાં અન્નક્ષેત્ર ઉજજૈન - નાસિક - પ્રયાગરાજ (અલ્હાબાદ) - હરિદ્વાર

આપાતકાળે વસ્ત્રદાન, અન્નદાન વગેરે

ઊજવવામાં આવતા ઉત્સવો

આવનાર ઉત્સવ ની યાદી

દિપાવલી
આસો વદ ૧૪
હોળી મહોત્સવ સ્થાપના દિવસ
ફાગણ સુદ પુનમ

ફોટો ગેલેરી

Religious Functions Organized By the Temple Administrator